બુધવાર, 25 મે, 2011

મારા આ મુકામને..

(‘સોનાની છાત્રાલય’…                         ….પોરબંદર)

નથી આ મુકામ પર મારા દહાડા જાજા.
આપ્યા છે આ મુકામે મને સંભારણા જાજા.

ટીંપુક    પ્યાર   માટે હું   તરસું   શા   થી?
અહીં  તો  છે  ભૈ  સ્નેહના   ફૂવારા  જાજા.

એમ તો હતી ક્યાં જાહેરમાં પહેચાન અમારી,
એણે જ તો ખોલ્યાં છે પ્રગતિના  બારણા જાજા.

કેમ કરીને અળગો થઈશ આ પ્રેમના મંદિરથી,
ખરેખર થૈ જશે ત્યારે દિલના ભાગલા જાજા.

અષાઢના ચકલાની માફક ન્હાઈ લૈ એની ધુળમાં,
કે   જેણે  સંઘર્યા  છે  મારા પગલા  જાજા.

વિસ્મૃતિથી વેગળી આ સોનાની છાત્રાલયને,
‘આરઝુ’  અમારા અંતરના ઓવારણા  જાજા.

રાજેશ જોશી ‘આરઝુ’

(પંકજભાઇ! ..      ..ત્યાં મારો ગુલમહોર હતો તે ક્યાં?)

મારા એક ‘ફેસબુક’  મિત્રએ મારી એ છાત્રાલયનો ફોટો ‘ફેસબુક’  પર મુકેલો કે જ્યાં મે  મારી મોટાભાગની તરુણાવસ્થા વિતાવી છે. એ પ્રેમના-વિદ્યાના મંદિરની તસ્વીર જોઇને મારી એપ્રિલ-૧૯૯૩ માં એ છાત્રાલયની વિદાયવેળાએ લખેલી એક કવિતા યાદ આવી ગઈ. જે અર્પણ કરુ છુ એજ ‘સોનાની છાત્રાલય’ને અને એ છાત્રોને કે જેણે એમની જીંદગીનો સોનેરી સમય ત્યાં  વિતાવ્યો છે.

શનિવાર, 30 એપ્રિલ, 2011

‘આરઝુ’


અમારા પાગલ દિલને એક જ ધરપત અમારી છે.
અમે જાતે જ નોતરેલી આ કયામત અમારીછે.

 ચાંદને શું ખબર કોઈ ચાતકે સમાવ્યો સિનામાં તેને,
લગભગ એ ચાતક જેવી જ હાલત અમારી છે.

 એમના દિલને કોઇ ખૂણે, અમે હશુ કે નહી, ખબરનથી,
માત્ર એમની જ કરેલી, માત્ર ઇબાદત અમારી છે.

 દોષ નથી કશો પણ એમાં, એમના દિલનો,
અમારા દિલને તોડનારી તો આ કરવત અમારી છે.

 ’આરઝુ’  અમને એક જ મળે કબરને  એમના બે આંસુ,
પછી તો બસ, એ અશ્રુવનમાં જ જન્નત અમારી છે.

રાજેશ જોશી ‘આરઝુ’

ગુરુવાર, 17 માર્ચ, 2011

રંગે રંગાયા



(Holi 2010...                         ...Dubai Creek Park)

કોઈ આછેરા રંગે રંગાયા.
તો કોઈ ઘેરા રંગે રંગાયા.

રંગાય જવાની છે મોસમ,
દરેક ચહેરા રંગે રંગાયા.

પાનખરને પણ રંગ હોય,
છો આજ હરા રંગે રંગાયા.

અશ્રુથી ચુકવ્યા છે દામ,
બહુ મોંઘેરા રંગે રંગાયા.

ઓઢી લીધુ છે સ્વેત વસ્ત્ર,
વિશ્રાંત ગહેરા રંગે રંગાયા.

આતમનો ક્યો રંગ 'આરઝુ'?
અમે તો અનેરા રંગે રંગાયા.

રાજેશ જોશી ‘આરઝુ’
Share/Bookmark

આપનો પ્રતિભાવ

Select your language from top right corner you will see language list