બુધવાર, 25 મે, 2011

મારા આ મુકામને..

(‘સોનાની છાત્રાલય’…                         ….પોરબંદર)

નથી આ મુકામ પર મારા દહાડા જાજા.
આપ્યા છે આ મુકામે મને સંભારણા જાજા.

ટીંપુક    પ્યાર   માટે હું   તરસું   શા   થી?
અહીં  તો  છે  ભૈ  સ્નેહના   ફૂવારા  જાજા.

એમ તો હતી ક્યાં જાહેરમાં પહેચાન અમારી,
એણે જ તો ખોલ્યાં છે પ્રગતિના  બારણા જાજા.

કેમ કરીને અળગો થઈશ આ પ્રેમના મંદિરથી,
ખરેખર થૈ જશે ત્યારે દિલના ભાગલા જાજા.

અષાઢના ચકલાની માફક ન્હાઈ લૈ એની ધુળમાં,
કે   જેણે  સંઘર્યા  છે  મારા પગલા  જાજા.

વિસ્મૃતિથી વેગળી આ સોનાની છાત્રાલયને,
‘આરઝુ’  અમારા અંતરના ઓવારણા  જાજા.

રાજેશ જોશી ‘આરઝુ’

(પંકજભાઇ! ..      ..ત્યાં મારો ગુલમહોર હતો તે ક્યાં?)

મારા એક ‘ફેસબુક’  મિત્રએ મારી એ છાત્રાલયનો ફોટો ‘ફેસબુક’  પર મુકેલો કે જ્યાં મે  મારી મોટાભાગની તરુણાવસ્થા વિતાવી છે. એ પ્રેમના-વિદ્યાના મંદિરની તસ્વીર જોઇને મારી એપ્રિલ-૧૯૯૩ માં એ છાત્રાલયની વિદાયવેળાએ લખેલી એક કવિતા યાદ આવી ગઈ. જે અર્પણ કરુ છુ એજ ‘સોનાની છાત્રાલય’ને અને એ છાત્રોને કે જેણે એમની જીંદગીનો સોનેરી સમય ત્યાં  વિતાવ્યો છે.

Share/Bookmark

આપનો પ્રતિભાવ

Select your language from top right corner you will see language list