મંગળવાર, 30 ઑગસ્ટ, 2011

પાદપુર્તિ

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા.
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.

અમૃત ‘ ઘાયલ’

એમ તો ન કરી શક્યા અમને નગરમધ્યે,
બદનામ કરવા એ દરેક ઘર સુધી ગયા.

એમ તો નિરખી ન શક્યા ખુદાને ખુદ મહીં.
લોક સઘળા પથ્થરના ચણતર સુધી ગયા.

પાત્રતા તો ન હતી ખાબોચિયાં જેટલીયે,
‘ને વિશાળતાને પામવા સમંદર સુધી ગયા.

અમે કંઈ એમ પાછા આવવાના પણ ન હતા,
તો ય અવિશ્વાસુ પંખી છેક ચાદર સુધી ગયા.

જીવતા કોઈ જાણી ન શક્યું ‘આરઝુ’ અમને,
મૃત્યુ બાદ સૌ ફુલો લઈ કબર સુધી ગયા.

રાજેશ જોશી ‘આરઝુ’

૧૯૯૫ માં યોજાયેલી પાદપુર્તિ સ્પર્ધાની વિજેતા કૃતિ.
Share/Bookmark

આપનો પ્રતિભાવ

Select your language from top right corner you will see language list