મંગળવાર, 11 ઑક્ટોબર, 2011

નુતનપ્રભાત



ક્યાંક રણમાં પણ સરવાણી મળે.
ક્યારેક સમંદર સાવ ખાલી મળે.

યાદ આવી પરથમની મુલાકાત,
હૈયે પુનમ રાત રઢીયાળી મળે.

લંબાવુ જો હાથ હમદર્દીથી મારો,
તો હાથને બદલે હાથતાળી મળે.

ફંફોસી જો સંદુક સ્મરણોની જરા,
તસ્વીર એની જરી-પુરાણી મળે.

અમાસ ઓઢી ‘ને પોઢી તો જાઉ,
ત્યાં હજાર દિવાની દિવાળી મળે.

એમ ‘આરઝુ’ આશ નંદવાય ના.
નુતનપ્રભાત તો અંજવાળી મળે.

રાજેશ જોશી ‘આરઝુ’

લખ્યા તારિખ ; ૨૭-૯-૨૦૧૧                લખ્યા સમય ; ૧૧.૧૧ સવારે.

રવિવાર, 18 સપ્ટેમ્બર, 2011

વર્ષગાંઠે


શબ્દોનાં પુષ્પો આપ્યા’તા, વર્ષગાંઠે.
શબ્દોમાં મોતીઓ મઢ્યા’તા વર્ષગાંઠે.

ન્હો’તી કેક, કાર્ડ કે આડંબરી ગુલદસ્તાં,
બસ, ભિંતરમાં ભાવ ભર્યા’તા વર્ષગાંઠે.

દોસ્ત હતાં આપણે, દોસ્ત રહ્યાં આજસુધી,
અંતરના ઉમળકાથી આવકાર્યા’તા વર્ષગાંઠે.

કેટલાયે ચડાવ ઉતાર પાર કર્યા આપણે,
છતાંય તમે યાદ આવ્યા’તા વર્ષગાંઠે.

લાખ કોશિશ છતા, ‘આરઝુ’ તુટી ગયા,
પાંપણે કેવા બંધ બાંધ્યા’તા, વર્ષગાંઠે.

રાજેશ જોશી ‘આરઝુ’

મંગળવાર, 30 ઑગસ્ટ, 2011

પાદપુર્તિ

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા.
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.

અમૃત ‘ ઘાયલ’

એમ તો ન કરી શક્યા અમને નગરમધ્યે,
બદનામ કરવા એ દરેક ઘર સુધી ગયા.

એમ તો નિરખી ન શક્યા ખુદાને ખુદ મહીં.
લોક સઘળા પથ્થરના ચણતર સુધી ગયા.

પાત્રતા તો ન હતી ખાબોચિયાં જેટલીયે,
‘ને વિશાળતાને પામવા સમંદર સુધી ગયા.

અમે કંઈ એમ પાછા આવવાના પણ ન હતા,
તો ય અવિશ્વાસુ પંખી છેક ચાદર સુધી ગયા.

જીવતા કોઈ જાણી ન શક્યું ‘આરઝુ’ અમને,
મૃત્યુ બાદ સૌ ફુલો લઈ કબર સુધી ગયા.

રાજેશ જોશી ‘આરઝુ’

૧૯૯૫ માં યોજાયેલી પાદપુર્તિ સ્પર્ધાની વિજેતા કૃતિ.
Share/Bookmark

આપનો પ્રતિભાવ

Select your language from top right corner you will see language list