રવિવાર, 21 માર્ચ, 2010

અમો ખાબોચિયાં!


મહેંકતાં ગુલાબ સૌ ને પ્યારા જ હોવાનાં.
સાથે કંટકોથી યે પનારા જ હોવાનાં.

પૂર્ણ પ્રકાશ કદી ફેંલાશે નહિં દુનિયામાં,
દીપક તળે હંમેશા અંધારા જ હોવાનાં.

કોણ કહે છે અત્યાચાર લોકોને ગમે છે?
અંતર તો સૌ ના સિસકતા અંગારા જ હોવાનાં.

વહે છે અમારી આંખમાં થી, એથી શું થયું?
વહેતાં એ વ્યથાશ્રુ તો તમારા જ હોવાનાં.

કહેવું સહેલું છે, કરવું ખૂબ જ અઘરું છે,
આંસુ અન્યનાં લુંછવા આકરાં જ હોવાનાં.

પ્રેમ હશે તો વળી ભવ-સાગર તરી જશું,
નહિતર મઝધારથી ય ઊંડા કિનારા જ હોવાનાં.

અમે વિશાળતાનો ભલે ને ગમે તેવો ઢોંગ કરીએ,
ખાબોચિયાં તો આખરે છીંછરા જ હોવાનાં.

રાજેશ જોશી "આરઝુ"

2 ટિપ્પણીઓ:

  1. વાહ રાજેશભાઈ....
    કહેવું સહેલું છે, કરવું ખૂબ જ અઘરું છે,
    આંસુ અન્યનાં લુંછવા આકરાં જ હોવાનાં.
    -આ વાત જરા વધારે ગમી.

    જવાબ આપોકાઢી નાખો

ગુજરાતીમાં લખવા અહિ ક્લિક કરો

Share/Bookmark

આપનો પ્રતિભાવ

Select your language from top right corner you will see language list