મંગળવાર, 26 જાન્યુઆરી, 2010

"સુજાવ"

જાન્યુઆરી-૧૯૯૪ માં લખેલી આ ગઝલ આજે પણ સાંપ્રત હોવાથી અહિં પ્રસ્તુત કરુ છુ.
શબ્દમાં અર્થના તળાવ લઇ નીકળ્યા.
આંખમાં અનુચિત બનાવ લઇ નીકળ્યા.

સંકટ સાગર પાર કરવો છે સમાજને,
અને સાથમાં છિદ્રિત નાવ લઇ નીકળ્યા.

સોનેરી જાળુ સંગઠનનુ આમ રચાશે ક્યાંથી?
તાંતણાંમાં તો લોકો તણાવ લઇ નીકળ્યા.

માર્ગ છે મંજીલ વિનાનો સાવ વર્તુળાકાર,
તે માર્ગે ચાલવાને ચલાવ લઇ નીકળ્યા.

આંખમાં વ્યથાના તળાવ લઇ નીકળ્યા.
ભરી "આરઝુ" શબ્દમાં સુજાવ લઇ નીકળ્યા.
Share/Bookmark

આપનો પ્રતિભાવ

Select your language from top right corner you will see language list